Rajkot: ૨૪ જુલાઈએ યોજાશે “વિંછીયા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ” કાર્યક્રમ: ૧૫ જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે
તા.૩/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot વિંછીયા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪-૦૭-૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર શ્રી, વિંછીયાના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી, વિંછીયા ખાતે યોજાશે. આ માટે અરજદારોએ વિંછીયા તાલુકાના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી તા. ૧૫/૦૭/૨૦૨૪ સુધીમાં ૨-નકલમા પુરાવા સાથે રજૂ કરવાની રહેશે નિયત સમય મર્યાદા બાદની અરજીઓનો કાર્યક્રમમા સમાવેશ કરવામાં આવશે નહીં.
આ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય, તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી અને તે અનિર્ણિત હોય તેમજ તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોય અને તે અનિર્ણિત હોય તેવા પ્રશ્ન રજૂ કરી શકાશે.
કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ, નગરપાલીકા અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ અને તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે. અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો નહીં કરી શકે તેમ મામલતદારશ્રી વિંછીયાની યાદીમાં જણાવાયું છે.