GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘હર ઘર તિરંગા’: રાજકોટ જિલ્લાની ૧૪૦૦ શાળાઓમાં ઉત્સાહભેર યોજાઈ વિવિધ પ્રવૃત્તિઓ

તા.૧૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓના ૫૨૦૦થી વધુ ફોટોગ્રાફ અપલોડ કરાયા

Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં અત્યાર સુધીમાં સરકારી, ખાનગી, પ્રાથમિક તથા માધ્યમિક મળીને ૧૩૯૯ શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે અને પોર્ટલ પર અત્યાર સુધીમાં ૫૨૫૦ ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવ્યા છે.

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજ સુધીમાં જિલ્લામાં જસદણ તાલુકાની ૨૦૬ શાળાઓ, ધોરાજી તાલુકાની ૧૨૦, ગોંડલ તાલુકાની ૨૧૫, જામકંડોરણા તાલુકાની ૭૭, જેતપુર તાલુકાની ૧૦૮, કોટડા સાંગાણી તાલુકાની ૫૮, લોધિકા તાલુકાની ૭૯, પડધરી તાલુકાની ૧૨૮, રાજકોટ તાલુકાની ૧૫૯, ઉપલેટા તાલુકાની ૧૨૬, વિંછિયા તાલુકાની ૧૨૩ શાળાઓએ નોંધણી કરાવી છે.

અભિયાન અંતર્ગત શાળાઓમાં બાળકો માટે તિરંગા ક્વીઝ યોજવામાં આવી હતી. દરમિયાન બાળકોએ શાળાઓમાં તિરંગાની થીમ પર સુશોભનો પણ કર્યા હતા. શાળાઓ દ્વારા ‘હર ઘર તિરંગાઃ હર ઘર સ્વચ્છતા’ના સંદેશ સાથે તિરંગા રેલી પણ યોજવામાં આવી હતી. માર્ગો પર નીકળેલી રેલીમાં નાગરિકો પણ જોડાયા હતા અને રેલીએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!