વલસાડ જિલ્લામાં માર્ચ માસના સ્વાગત કાર્યક્રમ માટે તા. ૧૦ માર્ચ સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ
સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રી બે થી વધુ પ્રશ્ન રજુ કરી શકશે નહી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત” કાર્યક્રમ ચાલુ કર્યો છે. માહે- માર્ચ – ૨૦૨૫ માસના સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે.
માર્ચ – ૨૦૨૫ માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૩/૨૦૨૫ને બુધવારના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૦૩/૨૦૨૫ને ગુરૂવારનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રજૂઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો/રજૂઆતોનાં નિકાલ માટેની વિગતવાર અરજી, જરૂરી આધાર પુરાવાઓ સહિત અરજીઓ “મારી અરજી તાલુકા સ્વાગત/જિલ્લા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ તા.૧૦/૦૩/૨૦૨૫ સુધીમાં બિનચુક રજુ કરવા વિનંતી છે. ઉપરોક્ત અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ/તાલુકાની અરજીનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૩/૨૦૨૫ને બુધવારે જે-તે તાલુકાની મામલતદાર કચેરીમાં સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે, જેથી અરજી કરનાર અરજદારોને જે-તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. ઉપરોક્ત અરજીઓ પૈકી જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૦૩/૨૦૨૫ને ગુરૂવારે કલેકટર કચેરી, વલસાડનાં સભાખંડમાં સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે. આ કામે જે તે અરજદારોને કલેકટર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે.
ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્ટ કેસ/ સબ જ્યુડીશીયલ બાબતો/ માહિતી અધિકારી હેઠળની અરજીઓ/ સેવાકીય બાબતો/ કોઇ ખાતાની નિમણુંકની બાબતો, સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ લેવામાં આવશે નહી, જેની સબંધકર્તાઓએ નોંધ લેવી. સ્વાગત કાર્યક્રમમાં અરજદાર બે થી વધુ પ્રશ્ન રજુ કરી શકશે નહી.