BHUJGUJARATKUTCH

હાજીપીર મેળાને અનુલક્ષીને ટ્રાફિક નિયમન હેતુ ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

 

ભુજ, તા-23 એપ્રિલ  : તા.૨૭/૦૪/૨૦૨૪ થી તા.૨૯/૦૪/૨૦૨૪ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા તા.૨૯/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી આમારા ગામ પાસે આવેલ કરોળપીર ખાતે યોજવામાં આવનાર છે. આ મેળા દરમિયાન જિલ્‍લા બહારથી શ્રદ્રાળુઓ મોટી સંખ્‍યામાં પગે ચાલીને હાજીપીર ખાતે દર્શનાર્થે જાય છે. આ વિસ્‍તારમાં આર્ચિયન કેમીકલ પ્રા.લી.કંપની, સત્યેશ તથા નિલકંઠ કંપની કાર્યરત છે અને તે કંપનીના ભારી માલવાહક વાહનો આર્ચિયન કંપનીથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ પર અવર જવર કરે છે. ભારે માલવાહક વાહનોની અવર-જવરને કારણે પદયાત્રીઓને મુશ્‍કેલી પડે અને અકસ્‍માત થવાની સંભાવનાઓ રહે છે. જેથી પદયાત્રીઓના માર્ગમાં કોઇ અડચણ કે મુશ્‍કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે.  શ્રી અમિત અરોરા જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ,કચ્‍છ ભુજ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી) અન્‍વયે ફરમાવેલ છે કે, તા.૨૩/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ સુધી હાજીપીર ફાટકથી આર્ચીયન કેમીકલ પ્રા.લી.કંપની, સત્યેશ કંપની તથા નિલકંઠ કંપની તેમજ ધોરડોથી નિલકંઠ કંપની સુધી ભારે વાહનો ઉપરોકત જણાવેલ તારીખો દરમિયાન પરિવહન કરી શકશે નહીં.   આ જાહેરનામામાંથી પોલીસ ખાતાના ફરજ પરના ભારે વાહનો તથા પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્‍થળ પરના સક્ષમ અધિકારી દ્રારા અધિકૃત કરેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!