GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે માર્ગ સલામતી જાગરુકતા સેમીનાર યોજાયો

તા.૧૭/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ ટ્રાફિક પોલીસ, RTO, સરકારી પોલીટેકનિક, રાજકોટ અને બી. કે. મોદી ફાર્મસી કોલેજ, રાજકોટ દ્વારા સંયુક્ત રીતે રોડ સેફ્ટી અવેરનેસ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં RTO અધિકારી શ્રી કેતન ખપેડ, એ.સી.પી. શ્રી ગઢવી, શ્રી જે.વી.શાહ અને ડી.સી.પી. શ્રી પૂજા યાદવ દ્વારા સંવાદપૂર્ણ, રસપ્રદ અને અત્યંત માહિતીપ્રદ વક્તવ્યો આપીને વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમના મધ્યમથી વિદ્યાર્થીઓનું રોડ સેફ્ટી અંગેનું જ્ઞાન વિકસે, ટ્રાફિકના નિયમો બાબતે જાગરુકતા કેળવાય તથા ટ્રાફિક નિયમોનું પાલન આપણી પ્રાથમિક ફરજ બને તેવી પ્રેરક બાબતો પ્રત્યે માર્ગદર્શન અપાયું હતું.

આ તકે બી.કે.મોદી ફાર્મસી કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી સોનીવાલા, યજમાન સંસ્થાના પ્રિન્સિપાલશ્રી ડો. એ.એસ. પંડ્યા, કાર્યપાલક ઈજનેર (પીજીવીસીએલ) શ્રી વી.જે.પારેખ અને કેમીકલ ખાતાના વડા શ્રી એ.ડી.સ્વામિનારાયણ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!