આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર ભીલડીમાં ભવ્ય પ્રવચન યોજાયું.પૂજ્ય ગુરુમહારાજનું સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુમહારાજે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો બધાએ સાથ સહકાર આપીને કાર્ય કરવું પડશે તો જ સાકાર થશે. અંતે દરેકને પૂજ્ય ગુરુમહારાજે આશિર્વાદ આપ્યા હતા.
ભરત ઠાકોર ભીલડી