GUJARAT

સંત-ભગવંત સાહેબજીના 85 મા પ્રાગટ્ય પર્વ ને લઈ અનુપમ સત્સંગ મંડળ પુનિયાદ દ્વારા સત્સંગ સભા અને મહાપ્રસાદી યોજાઇ

આ પ્રસંગે અનુપમ મિશન મોગરી થી આવી પહોંચેલા સંતશ્રી,પૂજ્ય સતિષભાઇ તથા મણીભાઈ નુ પૂજન તથા પુષ્પહાર થી સ્વાગત ગામના યુવાનો પૈકી કલ્પેશ પટેલ અને સુનિલ પટેલે કર્યા બાદ,અનુપમ સત્સંગ મંડળ વેમાર ધ્વારા ભજનો ની રમઝટ બોલાવી સભા મંડપ મા બેઠેલા હરિ ભક્તો ને મુગ્ધ કર્યા હતા... આ પ્રસંગે સંત શ્રી મણીભાઈ ના પ્રાસંગિક પ્રવચન બાદ સંતશ્રી સતિષભાઇ એ પ્રાસંગિક પ્રવચન બાદ મોટી સંખ્યામા ઉપસ્થિત હરિભકિત ને ,સંત-ભગવંત સાહેબજી દાદા વતી આશીર્વચન પાઠવ્યા હતા.. ઉલ્લેખનિય છે કે સત્સંગ મંડળ પુનિયાદ ધ્વારા કેક કાપી,મહાઆરતી. અને મહાપ્રસાદ સાથે કાર્યક્રમ સંપન્ન કરાતા,આ કાર્યક્રમ મા પુનિયાદ ગામના ગ્રામજનો સહિત વેમાર ,અવાખલ,સેગવા ના હરિભકતો ની મોટી ઉપસ્થિતિ જોવા મળી હતી.. ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!