સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ૠત્વિકભાઈ મકવાણાની પસંદગી
તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ૠત્વિકભાઈ મકવાણા વિશે વધુ પરિચય આપવાની જરૂર નથી પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે વેચાયા વગરનો ખખડતો રૂપિયો એટલે લોકનાયક ૠત્વિક મકવાણા જેઓએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન ઘણાં ઉતાર ચઢાવ જોયાં, સતાપક્ષ તરફથી વારંવાર મળતાં પ્રલોભનોને અવગણી અને માત્ર અને માત્ર પ્રજાનો અવાજ બની સતત રણકતાં રહ્યા વિધાનસભામાં આપણે સૌએ લોકહિત માટે લડતાં જોયાં છે ખેડૂતોનાં પ્રશ્નો લઈને ભુખ હડતાળ માં બેઠાં છે એટલે જ તો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારનાં ઉમેદવાર તરીકે પસંદગી પામતાં અનંત શુભેચ્છાઓ સુરેન્દ્રનગર લોકસભાનાં મતદારોને પોતાનો સ્થાનિક અને પોતીકો ઉમેદવાર લોકનાયક ૠત્વિક મકવાણા સ્વરૂપે મળતાં ઝાલાવાડને નવી દિશા અને નવા આયામો સર્જવાની તક મળશે મુળ સાયલા તાલુકાના ધજાળા ગામે કર્મનિષ્ઠ આગેવાન અને પંચાળના ગાંધી તરીકે છાપ ધરાવતા શિક્ષણવિદ કરમશીભાઈ મકવાણા અને સવસીભાઈ મકવાણા પરિવારમાંથી આવે છે અને આ આઝાદી સમયથી આ પરીવાર કોગ્રેસ સાથે જોડાયેલ છે ઋત્વિક મકવાણા શિક્ષણ સાથે જોડાયેલા છે અને Myself ના પુર્વ ધારાસભ્ય તરીકે સેવા આપેલ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!