BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
દિવાળીના દિવસથી બંધ કરાયેલી દુકાનોના શટર લાભ પાંચમના દિવસથી ફરી ખુલ્યા


સમીર પટેલ, ભરૂચ
દિવાળીના તહેવારોમાં દુકાનો બંધ રાખ્યાં બાદ ભરૂચ અંકલેશ્વરના વેપારીઓએ લાભ પાંચમ નિમિત્તે આજે પુજા અર્ચના કરી વેપારની શુભ શરૂઆત કરી છે. બજારોમાં દુકાનો ખૂલી થતાં રાબેતા મુજબની ચહલ પહલ જોવા મળી હતી. હિન્દુ સમાજમાં ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીના દિવસે દુકાનો બંધ કરી દેવામાં આવે છે અને લાભ પાંચમના દિવસે ફરીથી ખોલવામાં આવે છે. આજના દિવસે વ્યવસાય અને જીવનમાં શુભ લાભ મળવાની માન્યતા છે. દિવાળી બાદ આવનારી લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહેવામાં આવે છે. લાભ પાંચમ મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે. લાભપાંચમ દિવાળીનો અંતિમ દિવસ હોય છે. સૌભાગ્યનો મતલબ થાય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો. તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.



