વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-04 મે : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૦૭ મે, ૨૦૨૪ મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાનારી છે. જે અનુસંધાને ભુજનું સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ મતદાનના દિવસે બંધ રહેશે.તારીખ ૦૬/૦૫/૨૦૨૪ સોમવારના રોજ સ્મૃતિવન મેમોરિયલ જાહેરજનતા માટે સવારના ૫.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી તેમજ અર્થક્વેક મ્યૂઝિયમ સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે તેમ સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ ઓથોરિટી દ્વારા જણાવાયું છે.