
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા- ૨૮ ઓક્ટોબર : વાલદાસ નગર પ્રગતિ મંડળ, યુવક મંડળ અને મહિલા મંડળના સયુંકત ઉપક્રમે નગરમાં રહેતા લોકોનું તૃતિય નૂતન વર્ષ સ્નેહમિલન સાથે સરસ્વતી સન્માન અને વિશિષ્ટ સન્માન કાર્યક્રમનું આયોજન ડી.સી. જાડેજા ભવન, ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. બાલિકા દ્વારા નૃત્ય સાથેની પ્રાર્થના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ડાયેટના પૂર્વ પ્રાચાર્ય સંજય ઠાકર, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, શાસક પક્ષના નેતા કમલ ગઢવી, નગર સેવકો મનુભા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, ધર્મેશ ગોર, પૂર્વ નગરસેવક રાજેન્દ્રસિંહ જાડેજા, મુંદ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા ,બ્રહ્મ સમાજના અગ્રણી અને પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જે.પી.ગોર, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, અગ્રણીઓ ચતુરસિંહ જાડેજા, ચતુરસિંહ સોઢા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રગતિ મંડળના પ્રમુખ પ્રફુલ્લસિંહ જાડેજાએ સૌને આવકારવાની સાથે નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી તો ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ તકે નગરમાં રહેતા ધો. ૧૦, ૧૨ અને ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર ૪૩ જેટલા તેજસ્વી તારલાઓ ઉપરાંત ૧૪ જેટલા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાઘેલાએ વાલદાસ નગરની સમરસતાને બિરદાવતા જણાવ્યું હતું કે દરેક સમાજ દ્વારા પોતાની જ્ઞાતિના બાળકો માટે આ પ્રકારનું આયોજન થતું હોય છે પણ વાલદાસ નગર દ્વારા સોસાયટીમાં રહેતા તમામ સમાજના લોકો માટે જે આયોજન કરાયું છે તે પ્રશંસનીય છે. તાલીમ ભવનના પૂર્વ પ્રાચાર્ય અને જાણીતા લેખક સંજય ઠાકરે બાળકોની સિદ્ધિને બિરદાવી ઉત્તરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.ઉપસ્થિત તમામ લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન મંડળના મત્રી મુકેશ ભટ્ટે જ્યારે આભારવિધિ હમીરજી ધલે કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ધર્મેન્દ્રસિંહ જાડેજા, રણજિતસિંહ ઝાલા, હરિસિંહ જાડેજા, રોહિતસિંહ જાડેજા, દશરથસિંહ ઝાલા, અભીજીતસિંહ ચુડાસમા, કુલદીપસિંહ સોલંકી, જયેન્દ્રસિંહ ઝાલા, મનજી લુહાર, ક્રિષ્નાબા જાડેજા, જયાબા ઝાલા,ચિરાગ જોષી, નીતિન સિંધલ, પ્રવિણ ભદ્રા, હિતેશ કતિરા, યુગ બારોટ સહિતના વાલદાસનગર પ્રગતિ મંડળ, યુવા મંડળ અને મહિલા મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.





