નવસારી:મતદાન માટે શ્રમિકોને ખાસ રજા: 26 એપ્રિલે રાજ્યભરમાં સૂચના અમલમાં

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સવારે ૭:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે. આ અવસરે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ–૨૦૧૯ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવાની ફરજિયાત કરાઈ છે.👉 જો કોઈ કર્મચારીની અઠવાડિક રજા મતદાનના દિવસે ન આવતી હોય, તો તેને મતદાન માટે ત્રણ કલાકની ખાસ રજા આપવી પડશે અથવા અઠવાડિક રજાના બદલે મતદાનના દિવસે રજા આપવામાં આવશે. 👉 જોકે, જ્યાં કર્મચારીની ગેરહાજરીથી ગંભીર પરિસ્થિતિ ઊભી થાય અથવા મોટું નુકસાન થવાની શક્યતા હોય, ત્યાં આ નિયમ લાગુ નહીં પડે. 👉 આ સુવિધા રોજમદાર અને કેજ્યુઅલ કામદારો માટે પણ લાગુ રહેશે.



