SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાના વેરા વિભાગ દ્વારા વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી

તા.25/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેરા બાકીદારો સામે વેરા વસુલાત તથા મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમ્યાન મિલકત વેરો ભરપાઈ ન કરવા બદલ પટેલ વિપુલભાઈ તથા અન્ય (હાલ સિગ્નેચર રેસ્ટોરન્ટ) ડ્રીમ ૨ ફ્લેટની સામે, બીજો માળ, દુકાન નં. ૧, સુરેન્દ્રનગર પાસે – બાકી રકમ: રૂ. ૪,૩૪,૦૭૨ તથા સર્વોદય સોસાયટી કો. ઓ. હા. સોસાયટી – સર્વોદય સોસાયટી, સુરેન્દ્રનગર પાસે – બાકી રકમ: રૂ. ૨,૨૧,૩૬૦ ની મિલકતોને સીલ કરવામાં આવી છે આ ઉપરાંત, સીલ કરવાની કાર્યવાહી દરમ્યાન નટ આયાન ઇન્ડસ્ટ્રીઝ – બાકી રૂ. ૨,૪૩,૨૧૯ (સંપૂર્ણ ભરપાઈ), હર્ષદભાઈ જોશી ગેસ્ટ હાઉસ (હાલ ડૉ. પરિમલ દોશી) – બાકી રૂ. ૩,૪૫,૧૮૭ (સંપૂર્ણ ભરપાઈ), ભગીનીબેન ગુણવંતરાય – બાકી રૂ. ૧,૦૬,૩૭૬ (સંપૂર્ણ ભરપાઈ), ખંભલા નિલેશભાઈ મોહનલાલ – બાકી રૂ. ૬૪,૨૫૬ (સંપૂર્ણ ભરપાઈ)ની વસુલાત કરવામાં આવી છે આ ઉપરાંત વેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જે વેરા બાકીદારોએ હજુ સુધી વેરો ભરપાઈ કર્યો નથી તેમની મિલકતોને સીલ કરીને વેરા વસુલાતની કાર્યવાહી નિયમિત રીતે હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!