BANASKANTHAGUJARAT

થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત ૧૯ મો વિધાર્થી સન્માન સમારોહ યોજયો…

નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી ઓગાડ વિધા મંદિરના પ્રાર્થના હોલમાં અરજણભાઈ છગનભાઈ પ્રજાપતિ પરિવારના અધ્યક્ષ સ્થાને

થરામાં શ્રી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજીત ૧૯ મો વિધાર્થી સન્માન સમારોહ યોજયો…

નવ રચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી ઓગાડ વિધા મંદિરના પ્રાર્થના હોલમાં અરજણભાઈ છગનભાઈ પ્રજાપતિ પરિવારના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૨૪/૧૦/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગતની પાવન નિશ્રામાં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ, ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ, મંત્રી વાલાભાઈ પ્રજાપતિ,સહ મંત્રી રમેશભાઈ પ્રજાપતિના મુખ્ય મહેમાન પદે પૂર્વપ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પૂર્વપ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ,સમસ્ત પ્રજાપતિ સમાજ ઉત્તર ગુજરાત ટ્રસ્ટી સંયોજક લાલજીભાઈ પ્રજાપતિ પાલનપુર,ઉપપ્રમુખ ગોરધનભાઈ પ્રજાપતિ, બનાસકાંઠા જિલ્લા મંત્રી રમેશભાઈ પ્રજાપતિ રાજપુર, કાંકરેજ તાલુકાના મહા મંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, થરા નગર પાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, શ્રીકાંકરેજી હિંદવાણી બચત મંડળી દીઓદરના ચેરમેન જયંતીભાઈ પ્રજાપતિ ફોરણા, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા નાઅતિથિ વિશેષ પદે બનાસકાંઠા જિલ્લા (વાવ- થરાદ)ના કલેક્ટર જે.બી. પ્રજાપતિ,થરા સ્ટેટ માજીરાજવી પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,શ્રી ઓગાડ વિધામંદિરના પ્રમુખ ધીરાજકુમાર કે.શાહ ની ઉપસ્થિતિમાં ૧૯ મો વિધાર્થી સન્માન સમારોહ યોજયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ક્રિષ્નાબેન પ્રજાપતિ સહીત બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ શિક્ષક મહેશભાઈ પ્રજાપતિ સાણાદરવાળાએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી મંડળના સંયોજકોના હસ્તે પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું.વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત કુલ ૨૯૯ તેજસ્વી તારલાઓને અનેક દાતાઓએ પ્રથમ,દ્વિતીય,તૃતીય, જનરલ ઈનામ સહિત શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના વડીલોએ રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ.ભોજન પ્રસાદ સ્વ. મણીબેન છગનભાઈ પ્રજાપતિ પરિવાર,મંડપ ગં.સ્વ. ચંપાબેન કેશાભાઈ પ્રજાપતિ પરિવાર જયારે આમંત્રણ પત્રિકાનો લાભ સ્વ.ચેહરબેન મંછાભાઈ પ્રજાપતિ પરિવારે લીધો હતો.આ પ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગતે જણાવેલ કે પ્રજાપતિ સમાજના બાળકો ભણી ગણી ખૂબ ખૂબ પ્રગતિ કરે માતા-પિતા નું નામ રોશન કરે કન્યાઓને ભણાવી-ગણાવી ઉચ્ચ ડ્રીગ્રી પ્રાપ્ત કરવી સારી નોકરી મેળવે તેવા આશિર્વાદ આપેલ સાથે સાથે જણાવેલ કે આપણો સમાજ દક્ષ પ્રજાપતિનો વંશજ છે.આદિ અનાદિથી અઢારેય વર્ણ પ્રજાપતિ (ભગત)ના ઘેર ઉતારો લેવાનુ પસંદ કરતા રહ્યા છે.પ્રજાપતિ સમાજ વ્યસનોથી દૂર રહી,જાત મહેનત કરી પેટીયું રળે છે તેનું મને ગૌરવ છે.શ્રી સમાલ પરગણાના મંત્રી વીરચંદભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ,અલ્કાબેન પ્રજાપતિ, બનાસબેંક ના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર,માર્કેટ યાર્ડ થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી,કસલપુરા પૂર્વ સરપંચ સોમાભાઈ ઊંઝિયા,દશરથભાઈ ઊંઝિયા કસલપુરા સહિત શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ભાઈઓ- બહેનો, માતાઓ,બાળકો વિગેરે વિશાળ સંખ્યામા હાજર રહેલ. કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ પ્રજાપતિ રાજપુર, રસિકભાઈ પ્રજાપતિ રાજપુર સ્ટેજ સંચાલન સુરેશભાઈ પ્રજાપતિ ઝાલમોર વાળાએ આભાર વિધિ સુરેશભાઈ પ્રજાપતિ કુડવાવાળા એ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!