GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું અધિવેશન જયપુર ખાતે યોજાયુ.

કચ્છ જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો સહભાગી થયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૮ ઓક્ટોબર : જુની પેન્શન યોજના સહીત શિક્ષકોના પ્રાણ પ્રશ્નો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ, રાષ્ટ્રીય સુરક્ષા સીમાઓથી સમાજ સુધી અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યા.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નવમું ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન રવિવારથી ત્રણ દિવસ માટે જયપુર ખાતે યોજાયો, જેમાં સમગ્ર ભારતમાંથી 3500 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાંથી અખિલ ભારતીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ સહિત 300થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા નવમા ત્રિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન 5થી 7 ઓક્ટોબર દરમિયાન જયપુરમાં કરાયું જેમાં દેશના 29 રાજ્યમાંથી 3500 પ્રતિનિધિ શિક્ષકો હાજર રહ્યા અને શિક્ષણ નીતિ અને ગુણવત્તાવાન શિક્ષણ માટેના સંકલ્પ લીધા. આ અધિવેશનનું ઉદ્દઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 5 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે કર્યુ હતુ જેમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ સુનીલભાઈ મહેતા, કાર્યકારિણી સદસ્ય સુરેશભાઈ સોની, ઉપ મુખ્ય મંત્રી દિયા કુમારી, ડૉ. પ્રેમચંદ બેરવા, શિક્ષણ મંત્રી મદન દિલાવર, રાજ્યસભા સાંસદ ડૉ.સુધાંશુ ત્રિવેદી અને NCERT ડાયરેક્ટર દિનેશ પી સકલાણી, અખિલ ભારતીય અધ્યક્ષ નારણલાલ ગુપ્તા મહામંત્રી ડોક્ટર ગીતા ભટ્ટ સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર અને સહ સંગઠન મંત્રી જી લક્ષ્મણ, નવી શિક્ષણ નીતિનો ઉચ્ચ શિક્ષણમાં અમલ કરનાર UGC ના પૂર્વ ચેર અને આઈ. આઈ. ટી.ના પ્રોફેસર એમ. જગદેશ કુમાર સહિતનાઓએ વિવિધ સત્રમાં ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.આ અધિવેશનમાં વિવિધ વર્કશોપ, વિમર્શ, પ્રવચન તથા પ્રદર્શનીઓ યોજાઈ. દેશના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનું ‘શિક્ષાભૂષણ’ પુરસ્કાર તથા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહ ખાસ આકર્ષણ રહ્યા. રાજ્ય તેમજ રાષ્ટ્રીય રાજકીય-સામાજિક નેતા, શિક્ષણ નિષ્ણાતો અને વિષય વ્યાખ્યાતાઓ વિવિધ માર્ગદર્શક વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ. વિશેષ મુદાઓ અગાઉ દેશમાં શિક્ષકોની ભૂમિકા અંગે પાંચ વર્ષનું ચિંતન, માળખું તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની અમલવારી, શિક્ષક સમસ્યા, શિક્ષકોની સુરક્ષા, સામાજિક અને સામૂહિક સુધારણા પ્રશ્નો વિશદરૂપે ચર્ચાયા હતા.અખિલ ભારતીય અધિવેશનમાં કચ્છ જિલ્લા વતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉપાધ્યક્ષ મુળજીભાઈ ગઢવી, સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ નયનભાઈ વાંઝા, ઉપાધ્યક્ષ પુનશીભાઈ ગઢવી, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશ ભાઈ ગાગલ તથા સહસંગઠન મંત્રી રાખીબેન રાઠોડ, કચ્છ જિલ્લા મહામંત્રી ડૉ. શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા, સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ, ઉચ્ચ શિક્ષા સંવર્ગમાંથી ડો. મનોજ છાયા (કોલેજ સંવર્ગ ઉપાધ્યક્ષ, ગુજરાત) ડો. ગોવિંદ ખેર (કોલેજ સંવર્ગ, જિલ્લા સંયોજક) ડો. કમલ ખારેચા (કોલેજ સંવર્ગ, જિલ્લા સંયોજક) સહભાગી બન્યા હતા, એવું કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!