
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
આ વર્ષે શનિ અમાવસ્યાં તા.-30 નવેમ્બરના રોજ સવારે 10:32 કલાકે આવી રહી છે શનિવારના દિવસે અમાવસ્યા હોવાથી તેને શનિ અમાવસ્યા કહેવાય છે.શનિ અમાવસ્યા વર્ષ માં એક કે બે વાર આવે છે આ દિવસે શનિદેવ નુ જપ તપ હવન પૂજા અભિષેક નું ફળ બમણું મળે છે શનિ ભગવાન એટલે ન્યાય નીતિ વ્યવહાર દયા અને ક્ષમા શિલ ભગવાન છે.ભૈરવી શનેશ્વર સમિતિના પ્રમુખ પૂર્વેશભાઈ ખાંડાવાલાએ આ અંગે માહિત આપતા જણાવ્યું કે શનિ ભગવાનનું મંદિર શનેશ્વર ધામ ભૈરવી ઔરંગા નદીના તટે આવેલું છે,જ્યાં શનિ અમાવસ્યાના દિવસે શનિ દેવની પૂજા યજ્ઞ (હવન) બપોરે 11:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આથી સર્વ ભાવિક ભક્તોને શ્રી શનિ સપ્ત સ્થાન વ્યવસ્થાપક સમિતિ-ભૈરવી તરફથી આમંત્રણ પાઠવાયું છે.


