GUJARATVALSADVALSAD CITY / TALUKO
આંતકી હુમલાને પગલે શ્રીનગરની ટૂર કેન્સલ કરવા વલસાડ સેલવાસ અને દમણ જિલ્લાના ટુરિસ્ટ વાહન સંચાલકો દ્વારા નિર્ણય લેવાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ: તા. ૨૩ એપ્રિલ:શ્રીનગરમાં જે આંતકી હુમલો યાત્રાળુઓ પર કરવામાં આવ્યો છે તે બહુ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમના પરિવારજનોએ જીવ ગુમાવ્યા છે એમના પરિવારજનોને પરમકૃપાળુ પરમાત્મા આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી આપણા સહુ વતી પ્રભુને પ્રાર્થના.
દરેક ટૂરનું કામ કરતા મિત્રો ને વિનંતી છે કે, હાલ પૂરતી શ્રીનગરની ટૂર કેન્સલ કરે અને જ્યાં સુધી સરકારશ્રી તરફથી કોઈ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી ટૂરનું આયોજન કરવું નહીં અને શ્રીનગરમાં જે પણ હોટલવાળા કે ટ્રાન્સપોર્ટેશન વાળા મિત્રોને કહી ને ત્યાં જે પણ ફસાયા હોય તેમને મદદરૂપ થાય અને એમના કોન્ટેક્ટ નંબર લઈને ગ્રુપમાં મૂકવા જેથી મદદ મળી રહે એવુ વલસાડ – સેલવાસ – દમણના ટુરિસ્ટ વાહન સંચાલક ટ્રસ્ટે અખબારી યાદીમાં જણાવ્યુ છે.