કાંકરેજ તાલુકાના થરા નચિકેતા સંસ્કારધામનું એસ. એસ. સી. નું વર્ષ ૨૦૨૫ નું પરિણામ ૯૦ ટકા..
કાંકરેજ તાલુકાના થરા નચિકેતા સંસ્કારધામનું એસ. એસ. સી. નું વર્ષ ૨૦૨૫ નું પરિણામ ૯૦ ટકા..
કાંકરેજ તાલુકાના થરા નચિકેતા સંસ્કારધામનું એસ. એસ. સી. નું વર્ષ ૨૦૨૫ નું પરિણામ ૯૦ ટકા..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ નચિકેતા સંસ્કાર ધામના વિધાર્થીઓ માર્ચ ૨૦૨૫ માં લેવાયેલી એસ.એસ. સી.ની પરીક્ષામાં ૯૦ ટકા પરિણામ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ધો.-b૧૦ માં અનુજ પ્રજાપતિએ ૯૭.૮૮ પી. આર. સાથે ૯૨.૫૦ ટકા, દિવ્ય ભાસ્કરના રિપોર્ટર અમરતજી ઠાકોર ના પુત્ર ધર્મેશ ઠાકોરે ૯૭. ૪૦ પી.આર.સાથે ૯૧.૮૮ ટકા, જાનકી ઠાકોરે ૯૭.૧૪ પી.આર. સાથે ૯૧.૦૫ ટકા,સંજનાકુમારી રાઠોડ઼ે ૯૫.૯૩ પી.આર. સાથે ૯૦ ટકા અને આર્યા ચૌધરીએ ૯૫.૩૪ પી.આર. સાથે ૮૯.૩૩ ટકા પ્રાપ્ત કરતા શાળાએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવતા નચિકેતા સંસ્કાર ધામના ઉત્સાહી અને શિક્ષણ પ્રેમી પ્રમુખ બાબુભાઈ ચૌધરી (શેઠ),નિયામક હસમુખભાઈ પટેલ સહિત નચિકેતા પરિવાર શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ખૂબ આગળ વધો અને માતા પિતા અને દેશ માટે ગૌરવ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530