GUJARATJUNAGADH

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે સમય મર્યાદા લંબાવવામાં આવી

જૂનાગઢ જિલ્લાના ખેડૂતો આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે

જૂનાગઢ જિલ્લામાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૦૧-૦૯-૨૦૨૫ થી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી કરવા ખેડુત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત હાલ ચાલુ છે.જે તા. ૨૨/૦૯/૨૦૨૫ સુધી ઓન લાઇન નોંધણી લંબાવવામાં આવેલ છે. જેની તમામ રસ હીત ધરાવતા ખેડુતો ને જાણ થવા તેમજ ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ છે.ઉલ્લેખનીય છે કે, ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ ના ખરીફ પાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરેલ છે. બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારશ્રીની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!