GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કુવાડવા ખાતે વૃક્ષારોપણ કરાયું

તા.૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ તાલુકાના કુવાડવા ખાતે આવેલી ડિસ્ટ્રોમેડ બાયો ક્લીન કંપની દ્વારા ‘‘પ્લાસ્ટિકમુક્ત અભિયાન’’ અન્વયે ૩૦ મેના રોજ પર્યાવરણ સંરક્ષણના હેતુસર પરિસર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ‘મિશન લાઇફ’ અંતર્ગત પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ઉલ્લેખનીય છે કે મિશન લાઈફ (પર્યાવરણ માટેની જીવનશૈલી) હેઠળ જીવનશૈલીમાં જરૂરી બદલાવ લાવીને બદલીને પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!