CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલાનાં તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળતાં ચકચાર મચી

તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ સહિના બનાવો વધી રહ્યાં છે અને ગુન્હેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં આવેલ વાડીમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી હતી તે અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં આવેલ વાડીમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક લાખાભાઈ સાનાણીની લાશ મળી આવી હતી જેની જાણ આસપાસના લોકો સહિત પરિવારને થતાં પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ અંગે પોલીસને કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા યુવકને અન્ય જગ્યાએ બોલાવી અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષણ હથિયાર વડે હત્યા નીપજાવ્યા બાદ લાશને યુવકની વાડીના શેઢે જ ફેંકી દીધા બાદ નાસી છુટયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો તેમજ પ્રેમ પ્રકરણમાં હત્યા નીપજાવી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે જે અંગે મૃતકના મોતનું સાચું કારણ જાણવા લાશને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ફોરેન્સીક પીએમ રીપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલ પોલીસે યુવકના મોત અંગે પરિવારજનોના નિવેદનોને આધારે ફરિયાદની તજવીજ તેમજ વધુ તપાસ હાથધરી છે ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!