મામલતદાર કચેરીના પટાવાળા તુષાર જોશી નું અકસ્માત નહીં પણ મર્ડર થયું હોવાનુ આવેદનપત્ર કાલોલ પોલીસ મથકે આપતા ચકચાર મચી

તારીખ ૧૦/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીનું અકસ્માત નહીં પણ મર્ડર કરી દેવામાં આવ્યું છે તેવો દાવો કરી રામનાથ ના સરપંચ નીરવ પટેલ અને અન્ય જાગૃત નાગરીકો દ્વારા આજ રોજ કાલોલ પોલીસને આવેદનપત્ર આપ્યું છે.આ અગાઉ થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી નીરવ પટેલ દ્વારા પોતાની આઇડી થી શેર કર્યું હતુ કે મામલતદાર કચેરીમાં ફરજ બતાવતા આઉટસોર્સ માધ્યમના પટાવાળા તુષારભાઈ અશોકભાઈ જોશી તેમનું અકસ્માતમાં નહીં પણ અંગત અદાવત રાખી મર્ડર કરી દેવામાં આવ્યું છે અને વધુમાં તેવું પણ જણાવ્યું છે કે અકસ્માત દરમિયાન મામલતદાર ઓફિસની ગાડીમાં બેઠેલા અધિકારીઓની પણ કડકાઇથી પૂછપરછ કરવામાં આવે તેવું નીરવ પટેલ જણાવી રહ્યા છે સોશિયલ મીડિયા facebook ના માધ્યમથી નીરવ પટેલે ખુલાશો કર્યો છે તે સાચો છે કે ખોટો તેતો હવે પોલીસ તપાસનો વિષય છે હવે આ કેસમાં પોલીસ તટસ્થ તપાસ કરે અને તુષાર જોષીના કેશમાં અકસ્માત છે કે મર્ડર હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે. આવેદન મા જણાવેલ વિગત જોતા આ બનાવ અંગે મૃતકના પિતાએ ટ્રેકટર ચાલક દ્વારા અકસ્માત કરી ટ્રેકટર પલ્ટી ખવડાવી હોવાની ફરિયાદ નોંધાવી છે અને મામલતદાર વાય જે પુવાર દ્વારા બીજા દિવસે ટ્રેકટર ચાલક દ્વારા સરકારી ગાડીને ટક્કર મારી નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. બન્ને વિગતો ની ફરિયાદ અલગ અલગ કેમ? તમામ હકીકતો જોતા મામલતદારનીગાડી પાવાગઢ પંચ મહોત્સવ મા જતી હતી તો અલવા ફતેપુરી નો રસ્તો કેમ પસંદ કર્યો? શુ ખરેખર મામલતદાર બનાવ સમયે સરકારી ગાડીમાં હતા? જો ગાડીમાં હતા તો કહેવાતા અકસ્માતની ફરિયાદ તેઓએ શા માટે ન નોંધાવી? પકડાયેલ ટ્રેકટર પણ શંકાસ્પદ હોવાનુ જણાવ્યુ છે.સમગ્ર બનાવમાં સરકારી ગાડીનો ચાલક કિસન ગણપતભાઈ તથા ક્લાર્ક ઉતમસિહ ની યોગ્ય રીતે તપાસ થાય અને મોબાઈલ કોલ ડિટેલ અને લોકેશન ની તપાસ થાય તો બહુ મોટા રહસ્યો બહાર આવે તેમ છે. મામલતદાર ની સરકારી ગાડીનો ચાલક ખરેખર કિસન છે કે તેના પિતા ગણપત તે પણ તપાસનો વિષય છે. કિસન મામલતદાર કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે તેમ છતા કાયમ મામલતદારની સરકારી ગાડી ચલાવતો હોય છે. વધુમા ગેરકાયદેસર રીતે રેતી અને માટી ખનન કરતા તત્વો સાથે સાઠગાંઠ મા પણ કિસન નો મોટો હાથ અને ભાગ હોવાનુ ચર્ચામાં છે. કિસન અને ઉતમસિંહ છાસવારે સરકારી ગાડી લઈને રેતી અને માટી ચોરો ને પકડવા અને પકડ્યા બાદ તોડ કરતા હોવાની વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે અને તુષાર ના મરણ ને દિવસે પણ આ લોકો મામલતદારની ગાડી લઈને ટ્રેકટર ચાલક પાસે થી તોડ કરવા ગયા હોવાનુ અને તે દરમ્યાન ઝપાઝપી બાદ તુષાર ના માથામાં લોખંડની ભારે વસ્તુ મારી હોવાની સ્ફોટક ચર્ચાઓ જામી રહી હોવાનુ આવેદન પત્ર મા ઉલ્લેખ કરી તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવા માંગ કરી છે. આવેદન પત્ર ની નકલ જીલ્લા પોલીસ અધિક્ષક તથા જિલ્લા કલેકટર અને ગૃહ મંત્રી ને પણ મોકલી આપી હોવાનુ જાણવા મળેલ છે. સમગ્ર ઘટના અંગે ચોંકાવનારા દાવા સાથે આવેદન આપતા ધટના અંગે ચર્ચાઓ જામી છે.






