GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તંત્ર દ્વારા આશિયાના સોસાયટી સામે રહેતા રહીશો ના આશિયાના તોડી પાડતાં વર્ષી થી વસવાટ કરતા રહીશો ઘરથી બે ઘર થયા.!!

 

તારીખ ૦૫/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે અનેક અધિકારીઓ સામે આશિયાના સોસાયટી સામે રહેતા રહીશો એ રહેમ ની ભીખ માંગી પરંતુ કોઈ પણ અધિકારીઓ ને આશિયાના સોસાયટી સામે રહેતા રહીશો ઉપર રહેમ ન રાખી સમય મર્યાદા ન આપાઈ જેથી આજરોજ મામલતદાર સહિત કાલોલ તંત્ર દ્વારા આશિયાના સોસાયટી સામે રહેતા રહીશો ના આશિયાના તોડી પાડતાં વર્ષી થી વસવાટ કરતા રહીશો આશિયાના વિહોણા થયા કાચા પાકા મકાનો તોડી પાડતા ઘર થી બે ઘર થયા હતા જે ગતરોજ આશિયાના સોસાયટી સામે રહેતા નાના-નાના બાળકો વૃધ્ધો અને પુરૂષો સહિત મોટો સંખ્યામાં લોકો હાથમાં પેપ્લેટ બેનરો સાથે જીલ્લા કલેકટર કચેરી ખાતે પોહચી તેઓ દ્વારા બે થી ત્રણ મહિના નો સમય ની માંગણી કરવા માટે ગયા હતા અને બે થી ત્રણ મહિનામાં સ્વૈચ્છિક દબાણો દૂર કરી દેવા જણાવ્યું હતું પરંતુ તેઓની રજુઆત ને ધ્યાને લીધી નહતી જેથી આજ રોજ કાલોલ પોલીસ સ્ટેશન સામેના બિનઅધિકૃત દબાણો ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાબદાર તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

કાલોલ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન પાસેના રોડ નજીક દબાણો દૂર કરવા પાંચ દિવસ પહેલા કાલોલ મામલતદાર દ્વારા અગાઉ ત્રણ નોટિસો ની બજવણી કરી સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવાની જરૂરી સુચના કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર જાતે સ્થળ પર રૂબરૂ પહોંચી દબાણકર્તાઓને સુચનાઓ આપી હતી જેને પગલે ગતરોજ ચાર ઓગસ્ટે મોડી રાત્રી સુધીમાં પંદરથી વીસ જેટલા મકાનો ઉપરના છાપરા દબાણકર્તા ઓએ હટાવી પોતપોતાનો માલસામાન સુરક્ષિત સ્થળે લઇ જાતે દુર કરતાં વહિવટી તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યાં હતાં ત્યારે બીજા દિવસે પાંચ ઓગસ્ટે પંચમહાલ જીલ્લા કલેક્ટરના આદેશ અનુસાર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર અને તેમની ટીમ સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આર.ડી.ભરવાડ,પી એસ આઈ એલ.એ.પરમાર,પી એસ આઈ ભાવેશકુમાર કટારીયા સહિત મોટીસંખ્યામાં કાલોલ પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટાફ ખડેપગે ઉપસ્થિત રહી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી જવાબદાર તંત્ર દ્વારા બાકી રહેલી આજુબાજુની કાચીપાકી દિવાલો જીસીબી મશીન અને ટ્રેકટરો સાથે હટાવી લેવાની તજવીજ હાથ ધરી હતી ઉપરોકત વીગત અનુસાર કાલોલ તાલુકા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે વાતચીત કરતા તેવો એ જણાવ્યું હતું કે આ સરકારી પડતર જમીનમાં ડી વાય એસ પી ઓફિસ સહિત સરકારી ક્વાર્ટરર્સ બનાવવાની પરિયોજના હેઠળ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન રોડ પાસેના દબાણો લઇ થતી ટ્રાફીક ની સમસ્યા અને જાહેર જનતાને મુશ્કેલી પડતી હોવાથી આ સમસ્યા દૂર કરવા દબાણકર્તાઓને દબાણ દુર કવા અંગેની સૂચનાઓ પાંચ દિવસ પહેલા આપવામાં આવી હતી જેને પગલે લોકોએ ગેરકાયદેસર ગાડીઓના પાર્કિંગ અને કાચાપાકા મકાનો તેમજ ત્યાં રાખવામાં આવેલ કેબીનો અને કેબીન ઉપરના છાપરા તથા લારીઓને સ્વેચ્છાએ હટાવી લેવાની મામલતદાર ની સુચના ધ્યાને લઈ વીસ જેટલા દબાણકર્તા ઓએ કરેલા દબાણો પોતપોતાના કેબીનો અને લારીઓ જાહેર રસ્તાની બાજુ પર કરવામાં આવેલ દબાણ અગાઉ જાતે હઠાવી લેવામાં આવ્યા હતા જ્યારે આજરોજ બાકી રહેલા પંદરથી વીસ બિનઅધિકૃત દબાણો જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ રૂકાવટ વિના દુર કરવામાં આવતા વહિવટી તંત્રએ રાહતની લાગણી અનુભવી હતી ત્યારે તંત્ર દ્વારા આશિયાના સોસાયટી સામે રહેતા રહીશો ના કાચા પાકા મકાનો તોડી પાડી ઘર વિહોણા કરી દેવામાં આવતા લોકોએ છુપો રોષ વ્યક્ત કર્યો છે..!

Back to top button
error: Content is protected !!