વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુંદરા કચ્છ.
મુંદરા ,તા -04 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ‘જાગરણ પર્વ’ અંતર્ગત કચ્છ જિલ્લાના મુંદરા તાલુકામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાલુકા સંયોજક પુનશી ગઢવી અને સહ સંયોજક નિલેશ વાઘેલા દ્વારા રાષ્ટ્રહિત કાજે 100% મતદાન થાય તે માટે તાલુકાના તમામ મંડલમાં સ્ટીકર તથા પત્રિકાનું વિતરણ કરાયું હતું.
જાગરણ પર્વના ભાગ રૂપે વિવિધ કચેરીઓની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ તકે પ્રાંત મંત્રી મુળજીભાઇ ગઢવી તેમજ સંઘના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેવું તાલુકા સંયોજક પુનશી ગઢવીની યાદીમાં જણાવાયું હતું.