GUJARAT

કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી.સિંઘ બઘેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે 

કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી.સિંઘ બઘેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

 

કેન્દ્રીય રાજ્યમંત્રીએ SoUની મુલાકાત પોથીમાં નોધ્યું કે “સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા, પરંતું ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવતરિત થાય છે”

 

 

જિલ્લા કલેક્ટર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરએ કોફીટેબલ બુક અને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

 

કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુ પાલન, ડેરી ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી એસ. પી. સિંઘ બઘેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી.

આ મુલાકાત દરમિયાન ગાઈડ શ્રી મયુરસિંહ રાઉલ દ્વારા મંત્રીશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કર્યા હતા.

મંત્રીજીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત પોથીમાં નોધ્યું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટીના દર્શન કરવાનો અવસર પુનઃ પ્રાપ્ત થયો. સરદાર સાહેબ જેવા વ્યક્તિ જન્મ નથી લેતા, પરંતું ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્તિ માટે અવતરિત થાય છે. મહાપુરુષોના સ્મારકથી જાગૃતિ આવે છે. જાગૃતિથી વિચારો બદલાય છે, વિચારોથી સંઘર્ષ કરવાની ક્ષમતા આવે છે. સંઘર્ષથી સત્તા અને સત્તાથી ઇતિહાસ બને છે. જેને સદીઓ સુધી યાદ કરવામા આવે છે.

Back to top button
error: Content is protected !!