વઢવાણ સ્વામિનારાયણ મંદિરે આજથી ત્રિ-દિવસીય ગુરુપૂર્ણીમા મહોત્સવ
તા.01/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વઢવાણ સ્વામીનારાયણ મંદિર ખાતે તા.૧ લી જુલાઈથી તા. ૩ જી જુલાઈ સુધી ત્રિ-દિવસીય ભવ્ય ગુરૂપુર્ણીમા મહોત્સવનું આયોજન
આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજીના રૂડા આશીર્વાદથી કરાયુ છે જેમાં આજે શનિવારે તા. ૧ ના રોજ કુંજવીહારી ભોજનાલય અને સંતવલ્લભ સંત આશ્રમનું ઉદ્ઘાટન, સમુહ મહા પુજા સહીતના કાર્યક્રમો યોજાયાં જયારે તા. ર ને રવીવારે સત્સંગ શીબીર અને સત્સંગ સભા અને રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો યોજાશે જયારે તા.૩ ને સોમવારે ગુરૂ પુજન સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયુ અને આજના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ વઢવાણ ધારાસભ્ય અને સરકારના દંડક જગદીશભાઈ મકવાણા મહામંત્રી ધીરૂભાઇ સિંધવ, દોલભા ડોડીયા, વિક્રમભાઈ દવે અને અનેક સંતો મહતો અને પત્રકારોમા મોટી સંખ્યામાં હરીભકતો ઉમટી પડ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!