VALSADVALSAD CITY / TALUKO
વલસાડ જિલ્લાના કપરાડાના અંભેટી કેવીકેમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત પાંચ દિવસીય તાલીમનો પ્રારંભ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ, તા. ૨૩ એપ્રિલ,વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લાના ૨૬ કૃષિ સખી અને ૨૬ જેટલા સીઆરપી (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) ની પાંચ દિવસીય તાલીમનો કપરાડા તાલુકાના અંભેટી ગામે સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રારંભ થયો છે. જેમાં જંગલ મોડલ ફાર્મ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક કેવી બનાવવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.