GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વાત્સલ્યમ્ સમાચાર ઈફેક્ટ:કાલોલ વેરાઈ માતાના મંદિર પાસે વીજવાયર ઉપર પડેલું વૃક્ષ એમજીવીસીએલે દૂર કર્યું.

તારીખ ૦૮/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ થી જેતપુર, ઘોડા, તરવડા જવ માટે ના રસ્તે વેરાઈ માતા મંદીર પાસેના રોડ નજીક વૃક્ષ વીજ લાઈન ઉપર પડતા મીડિયાના અહેવાલ આધારે એમજીવીસીએલ દ્વારા ટ્રેકટર લાવી વૃક્ષ દુર કરેલ અને રસ્તો કલીયર કરેલો ત્યારે થાંભલા નો નીચલો હિસ્સો તૂટી ગયેલો દેખાતા સ્થાનિક દ્વારા તેનો વીડિયો બનાવી કોઈ પણ વ્યકિત ને કરંટ લાગવાની શક્યતા હોવાનુ જણાવી વિડિયો એમજીવીસીએલ ને મોકલતા આ થાંભલો નવો નાખવાની તૈયારી બતાવેલ. આમ વાત્સલ્યમ્ સમાચાર ના અહેવાલ ને પગલે બે દિવસથી પડી રહેલા વૃક્ષ ને રસ્તા ઉપર થી દુર કરવા માટે અને નવો થાંભલો નાખવાની તજવીજ શરૂ થતા સ્થાનિકોમાં આનંદ વ્યાપી ગયો છે.







