વાત્સલ્યમ્ સમાંચાર ઈમ્પેક્ટ.ખાતરના દુકાનદારને તંત્રએ નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું સાથે ખાતરનુ વેચાણ બંધ કરાવ્યું

તારીખ ૨૦/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલમાં યુરિયા ખાતર વિર્કેતાએ જગતના તાત સાથે ખુલે આમ લૂંટ ચલાવી નિયત કિંમત કરતા વધારે કિંમત લેવાતી હોવાના વાત્સલ્યમ્ સમાંચાર પ્રત્રમાં પ્રસિધ્ધ થતાં તંત્રએ નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે હાલ ખાતરનુ વેચાણ બંધ કરાવ્યું દુકાનદાર સામે નક્કર કાર્યવાહી કરતા દુકાનદાર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે અને કાલોલ મામલતદાર દ્વારા દુકાનનું સ્ટોક પત્રક પણ તપાસવામાં આવ્યુ છે.
કાલોલ શહેર સ્થિત બોરૂ ટર્નિંગ વિસ્તારમા આવેલી એગ્રો બિઝનેસ સેન્ટર નામની દૂકાનમાં ખેડૂતો માટે યુરિયા ની એક બેગ દીઠ ૧૦૦, ૮૦/ અને ૬૦ રૂ વધુ લેવાતા હોવાની માહીતી આધારે કાલોલ મિડીયા દ્વારા એક ખેડૂત ગ્રાહકને યુરિયા ખાતર લેવા આધાર કાર્ડ લઈને મોકલતા ૨૬૬.૫૦/ની કીમત ને બદલે ૩૩૦/ રૂ વસૂલતા હોવાનુ અને બીલ નહી આપતા હોવાનુ રેકોર્ડ થઈ જવા પામી હતી મિડીયા દ્વારા વધારે પૈસા કેમ લો છો તેમ પુછતા હાલ માલની શોર્ટેજ છે તમારે ન જોઈએ તો પાછુ આપી દો તેવી દલીલ કરવા લાગ્યો હતો જોકે મિડીયા દ્વારા પોતાની ઓળખ આપતા જીલ્લા પુરવઠા અધિકારી ને ફરિયાદ કરવા જણાવતા એવુ ન કરશો તેમ કહેવા લાગેલ જીલ્લા પુરવઠા અધિકારી તેમજ કાલોલ મામલતદાર ને ફોન કરતા નાયબ મામલતદાર ને મોકલી આપ્યા હતા. સ્ટોક પત્રક પણ નીભાવેલ નહી હોવાનુ બહાર આવ્યુ તેમજ દરેક ખેડૂતને ફરજિયાતપણે નેનો બોટલ પણ આપતા હોવાનુ બહાર આવ્યુ હતુ.ખેતીવાડી અધિકારી ને પણ જાણ કરતા તેઓએ નક્કર કાર્યવાહી કરવાનુ આશ્વાસન આપ્યું હતું અને દુકાનદારને નોટીસ ફટકારી છે.ત્યારે ખેડુત જગતનો તાત કહેવાય છે જગતના તાત ની સાથે ખુલ્લેઆમ આવી ખુલ્લેઆમ લૂટ મચાવતા તત્વો સામે તંત્ર ઉદાહરણરૂપ નક્કર કાર્યવાહી કરી દુકાન સસ્પેન્ડ કરવામાં આવે તે જરૂરી છે. કાલોલ તાલુકામા અને સમગ્ર રાજયમા આવા કેટલા દુકાનદારો હશે તેની નિષ્પક્ષ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવી શકે છે. હાલ તો આ દુકાન પર ખાતરનું વેચાણ નાયબ નિયામક ખેતીવાડી શાખા દ્વારા બંધ કરાવ્યુ હોવાનુ જાણવા મળેલ છે.





