GUJARATRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Vinchchhiya: વિછીયા તાલુકાનો “સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ

તા.૨/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Vinchchhiya: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યના નાગરીકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ જ નિવારણ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવ્યા છે. જે અંતર્ગત વિછીયા તાલુકા માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૧/૦૮/૨૦૨૪ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, વિછીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદારશ્રી વિછીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે.

અરજદારોએ વિછીંયા તાલુકાના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી, વિછીયા ખાતે તા. ૧૦/૦૮/૨૦૨૪ સુધીમાં કરવી. આ સમય બાદ રજુ કરવામાં આવેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય, તો ગ્રામ પંચાયત, તલાટી ક્રમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય. તાલુકા કલાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય. આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ, નગરપાલિકા અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ અને તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવી. અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. ઉપરોક્ત પ્રશ્નોને લગતી અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી, તેમ વિંછીયા મામલતદારની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!