ABADASAKUTCH

વાયોર પોલીસ સ્ટેશન પટાંગણ માં વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત લોકદરબાર નું આયોજન કરવા માં આવ્યું 

૧૦-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

રિપોર્ટ :- રમેશ ભાનુશાલી – નલીયા

અબડાસા કચ્છ :- અબડાસા તાલુકાના વાયોર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત લોકદરબારનું આયોજન કરવામા આવ્યુ,વાયોર પોલીસ સ્ટેશન પટાંગણ માં વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત લોકદરબાર નું આયોજન કરવા માં આવ્યું,પી.એસ.આઈ.જી.એમ.રાઠોડ ની અધ્યક્ષતા માં વાયોર પો સ્ટે ખાતે એલ.આઈ.બી શાખા દ્વારા વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત લોકદરબાર યોજાયો.જેમાં પોસ્ટે ના કાર્યક્ષેત્ર વિસ્તાર ના ગામડાઓ ના સરપંચશ્રીઓ.. નાગરિકો સ્વૈચ્છિક સંસ્થાઓ ના આગેવાનો,વેપારીઓ અને જાગૃત નાગરિકો હાજર રહ્યા.લોકદરબાર માં વ્યાજખોરી થી પીડિત લોકો એ ડર્યા વગર ફરિયાદ આપવા અંગે જાણકારી આપવામાં આવી અને જન જાગૃતિ માટે સરકારશ્રી ના વ્યાજના ધારાધોરણ મુજબ નક્કી કરેલા વ્યાજ અંગે ની જાણકારી આપવામાં આવી.લોકદરબાર માં હાજર રહેનાર પોલીસ સ્ટાફ સિનિયર એ.એસ.આઈ રાજેશભાઇ વી જોષી હેડ કોન્સ તેજમાલજી કે જાડેજા તથા અના પો કોન્સ રાધેશ્યામ એસ હડિયા,સાહેબજી મેઘરાજજી.. જુવાનસિંહ પી જાડેજા, પીરજાદા ઈબ્રાહીમછા લતીફછા,કરીમભાઈ અલી મામદ સુમરા,પ્રફુલભાઈ ઠક્કર,અહમદભાઈ ઓઢેજા,પ્રકાશભાઈ ઠક્કર,હમીદભાઈ ખત્રી,ઇમરાન ભાઈ મારા,જાડેજા ભુપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,લુહાર ઇમરાન પ્રતીક ઠક્કર.. હરેશભાઈ રૂપારેલ,દાઉદ ઓઢેજા તથા તમામ ગામના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન વાયર પોસ્ટે L.B.I શાખા દ્વારા કરવામાં આવ્યું. અને આભાર વિધિ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શ્રી રાજેશભાઈ જોશી એ કરી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!