GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના રતનપુરા ગામે ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી કરવામાં આવી.

 

તારીખ ૨૧/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના રતનપુરા ગામે ભક્ત અંબાલાલ ધનાભાઈ પરમાર ના ત્યાં રઢુ નિવાસી સદગુરુ પ. પૂ. સંત હિરદાસ બાપુ ના સાનિધ્ય માં તાલુકા ના રતનપુરા ગામે તેમના શિષ્યોએ સત્સંગ નો લાહવો લીધો હતો અને ગુરૂજી એ આશીર્વચન સૌ ભાવિ ભક્તો ને પાઠવ્યા હતા.આ તબ્બકે ગુરૂ પૂર્ણિમા અને ગુરૂ મહિમા અપરંપાર મહિમા અને ઉપદેશ ની વાત કરી હતી જેમા જીવન માં પ્રથમ ગુરુ માતા પિતા,બીજા સદગુરુ (સતગુરુ) અને ત્રીજા શિક્ષા ગુરુ જેઓના સાનિધ્ય માં શિક્ષણ લઈ જ્ઞાન થી સમૃદ્ધ થઈએ છીએ તે જેમાં દરેકે વ્યક્તિગત વ્યસનો નો ત્યાગ કરવો જોઈએ કોઈ ને દુઃખ થાય એવી વાણી પર લગામ રાખવી વિગેરે બાબતો ની છણાવટ કરી હતી વધુ માં સ્વયમ સેવક નરેશભાઈ પરમાર ચાર પરગણા વણકર સમાજ ના યુવા કનવિંનર, હસમુખભાઈ પરમાર રતનપુરા, પ્રમોદ પરમાર રીંછીયાવાંટા અને કવિ વિજય વણકર પ્રીત સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અને સુચારુ આયોજન થાય તે માટે પહેલ કરી હતી આ તબ્બકે આજુબાજુ ના ગ્રામ્ય પરિવેશ ના પંથક માં થી અનેક ભાવિ ભક્તો ગુરુ ના પાવન પર્વે દર્શન કરવા પહોચી ગયા હતા.

Back to top button
error: Content is protected !!