JUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લામાં રિસર્વે બાદ રેકર્ડમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા ઝુંબેશ શરૂ કરાશે

તબક્કાવાર ગામોના દરેક સર્વે નંબર માપણી કરવામાં આવશે : ખાતેદાર-કબજેદારને સહકાર આપવા અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રીસર્વે બાદ રેકર્ડમાં રહેલ વિસંગતતાઓ – ક્ષતિઓ દૂર કરવા માટે હાલ જૂનાગઢ ક્ષતિ સુધારણા કાર્યક્રમ પ્રગતિમાં છે. આ કાર્યક્રમ હેઠળ હાલ જૂનાગઢ જિલ્લાના પાંચ ગામોમાં રેકર્ડમાં રહેલ તેઓ ક્ષતિઓ દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
મેંદરડાના ગડકીયા ગામે તા.૧૫-૨-૨૪ તથા ગુંદીયાળી ગામે તા.૨૨-૨-૨૪, ભેંસાણના નવા વાઘણીયા ગામે તા.૧૬-૨-૨૪, માણાવદરના ખખાવી ગામે તા.૨૨-૨-૨૪ અને વંથલીના બંધડા ગામે તા.૧-૩-૨૦૨૪થી આ રેકોર્ડ ક્ષતિ સુધારણાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તબક્કાવાર જિલ્લાના અન્ય ગામોમાં પણ રેકર્ડ ક્ષતિ સુધારણાની આ ઝુંબેશ આગળ વધારાશે.
આ ઝુંબેશ હેઠળ સમગ્ર ગામના દરેક સર્વે નંબરની માપણી કામગીરી હાથ ધરવાની હોય જેથી ખાતેદાર-કબજેદાર માપણી સમયે સ્થળ પર હાજર રહી માપણી કામગીરી માટે જરૂરી સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે. તેમ ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડઝ ઈન્સ્પેક્ટરની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!