સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ ના સાનિધ્યમાં અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ અને ઉર્જા સંરક્ષણ સપ્તાહ ની ઉજવણી
અહેવાલ:- પ્રતિક ભોઈ
આજ રોજ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ ના સાનિધ્યમાં અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ અને ઉર્જા સંરક્ષણ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે યુ જી વી સી એલ ઈડર થી કાર્યપાલક ઇજનેર શ્રી પી.જે પટેલ સાહેબ, જુ. ઇજનેર સી. વી. નાયી સાહેબ, સિનિયર આસિસ્ટન્ટ શ્રી ધવલભાઈ પટેલ અને શ્રી આરવી બારૈયા સાહેબ ડેપ્યુટી એન્જિનિયર યુજીવીસીએલ ખેડબ્રહ્મા ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું શાળાના સુપરવાઇઝર શ્રી આરપી વાલા સાહેબ અને અન્ય સારસ્વત મિત્રો દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શ્રી નાઈ સાહેબે વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ અને ઊર્જા બચત અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી પી જે પટેલ સાહેબે સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે પીએમ સૂર્ય ઘર યોજના, સોલર રૂફટોપ યોજના ની માહિતી આપી હતી તેઓએ વિદ્યાર્થીઓને ઉર્જા બચત નું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ માટે અનુરોધ કર્યો હતો.
ઉર્જા બચત અને સંરક્ષણ થકી વિકસિત ભારતમાં વિદ્યાર્થીઓ કેવી રીતે યોગદાન પૂરું પાડી શકે તે અંગે સર્વેને જાગૃત કર્યા હતા. અંતમાં શ્રી ધવલભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉર્જા બચત માટેના શપથ લેવડાવ્યા હતા.
કાર્યક્રમની આભાર વિધિ શ્રી બીજે વાઘેલા સાહેબ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેન્દ્રસિંહ એસ દેવડા દ્વારા કરવામા આવ્યું હતું.