MEGHRAJ

મેઘરજ : મગફળીનું નકલી બિયારણ પધરાવી દેતા ખેડૂતને રોતા પાણીએ રોવાનો વારો , જિલ્લાની ટીમ પહોંચી ખેડૂતના ખેતરમાં 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : મગફળીનું નકલી બિયારણ પધરાવી દેતા ખેડૂતને રોતા પાણીએ રોવાનો વારો , જિલ્લાની ટીમ પહોંચી ખેડૂતના ખેતરમાં

સમગ્ર ગુજરાતની અંદર હવે નકલીની બોલબાલામાં વધારો જોવા મળી રહ્યું છે જેની અંદર વિવિધ નકલી અધિકારીએ થી લઈને નકલી ઓફીસો નકલી દવાઓ તેમજ હવે નકલી બિયારણ પણ બજારમાં આવી ગયું તેવો ઘાટ જોવા મળી રહ્યું છે. ખેડૂતે આક્ષેપ કર્યા છે કે આ મગફળીનું નકલી બિયારણ પધરાવી દીધું છે

વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજપુર કંટાળુ ગામના ખેડૂત જીવાભાઈ જેવો એ પોતાના ખેતર ની ખેડ કરી. 40 કિલો મગફળીનું બિયારણ લાવીને જમીનમાં ઉગાડ્યું હતું. પરંતુ ખેડૂતને 25 દિવસ પછી ખબર પડે કે ખેતરની અંદર 70 % મગફળીનું બિયારણ ઉગ્યું નથી માત્ર 30 ટકા જેટલું જ આ મગફળીનું બિયારણ ઉગ્યું છે ખેડૂતે 12 હજાર જેટલા રૂપિયાનો ખર્ચો કરી બિયારણ ઉગાડ્યું હતું .જેને લઈને ખેડૂતની રોતા પાણી રોવાનું વારો આવ્યો હતો અને બિયારણ કયા કારણે નથી ઉગ્યું જેને લઇ ખેડૂતે અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગની અંદર જાણ કરી હતી ત્યારે જાણ થતાં જ અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા અને જે પ્રકારે પાક જોઈ પાકના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થથી મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ ખેતરમાં આજ કંપનીનું બિયારણ ગઈ સાલ પોતાના ખેતરમાં ઉગાડ્યું હતું અને એમાંથી 45 મણનું ઉત્પાદન મેળવ્યું હતું ત્યારે  ફરીથી એ જ કંપનીનું બિયારણ  ઉગાડ્યું પરંતુ આ વખતે ખેડૂતોને આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ બિયારણ નકલી હોવાના કારણે નથી ઉગ્યું. જો જે પણ તપાસમાં નીકળશે ત્યારબાદ હું ગ્રાહક સુરક્ષામાં જઈશ અને કંપની સામે ફરિયાદ કરીશ તેવી ચીમકી ઊંચારી હતી

 

Back to top button
error: Content is protected !!