MODASA

મોડાસા : ભીડભંજન હનુમાનજી મંદિર સાકરીયા ખાતે મંદિરમાં થઈ ચોરી, 3 કિલો ચાંદીની ગદા ચોરાઈ : મંદિરમાં વિવિધ આભૂષણો સાથે રૂ.5,12,000/ ના મતાની ચોરી કરનાર અજાણ્યા શક્સ સામે નોંધાઈ ફરિયાદ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : ભીડભંજન હનુમાનજી મંદિર સાકરીયા ખાતે મંદિરમાં થઈ ચોરી, 3 કિલો ચાંદીની ગદા ચોરાઈ : મંદિરમાં વિવિધ આભૂષણો સાથે રૂ.5,12,000/ ના મતાની ચોરી કરનાર અજાણ્યા શક્સ સામે નોંધાઈ ફરિયાદ

મોડાસા તાલુકામાં આવેલ સાકરીયા ગામે ભીડભંજ હનુમાનજી મંદિર આવેલ અહીં ભકતો દૂર દૂર થી પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથેદર્શનમાટે આવતા હોય છે આ એક પ્રાચીન મંદિર માનું એક મંદિર ગણવામાં આવે છે.પરંતુ આ મંદિરને ચોરોએ ટાર્ગેટ કર્યો હતો અને ગત રાત્રીના સમયે કેટલાક અજાણ્યા શક્સોએ મંદિરમા રહેવા આભૂષણોની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના જોતા વહેલી સવારે મંદિરમાં નિત્યસમય મુજબ મંદિરની પૂજા અર્ચના માટે પૂજારી સહીત ભકતો પોંહચતા ચોરીની ઘટનાની જાણ થયેલી જોવા મળી હતી સમગ્ર ઘટના અંગે મંદિર ટ્રસ્ટ ને જાણ કરતા મંદિર ખાતે પોહ્ચ્યા હતા અને પોલિસ ને જાણ કરતા રૂરલ પોલિસ ટીમ ઘટના સ્થળે પોંહચી હતી આ ચોરીની ઘટના ને લઇ ડોગસ્કોડ ટીને પણ જાણ કરવામાં આવી હતી અને પોલિસ કાફલા સહીત ડોગસ્કોડ પણ હાજર રહી તપાસ હાથ ધરી હતી

સાકરીયા હનુમાનજી મંદિર ખાતે થયેલ ચોરી અંગે મોડાસા રૂરલ પોલિસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર શક્સ સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં અજાણ્યા ચોર ઇસમે તા.૨૬/૦૪/૨૦૨૫ ના કલાક-૦૨/૦૦ વાગ્યાની આસપાસ  સાકરીયા મુકામે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરના બંધ કેબીનનુ તાળુ તોડી કેબીનમાં પ્રવેશ કરી આશરે ત્રીસેક વર્ષ અગાઉથી જુદા જુદા સમયે દાનમાં આવેલ કેબીનમાં મુકેલ એક ચાંદીની ગદા આશરે ત્રણ કિલોની કિ.રૂ.૨,૧૦,૦૦૦/ની તથા એક ચાંદીનો ઘડો આશરે સવા કિલોનો કિ.રૂ.૮૭,૫૦૦ /તથા એક ચાંદીનું છત્તર આશરે બે કિલોનું કિ.રૂ.૧,૪૦,૦૦૦/ તથા એક ચાંદીનું નાનુ છત્તર આશરે ૧૦૦ ગ્રામનું કિ.રૂ.૭,૦૦૦/ તથા એક રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનો ચાંદી  રામદરબાર આશરે ૫૦૦/ગ્રામનો કિ.રૂ.૩૫,૦૦૦/ તથા ચાંદીનું નાક,ચાદલો આશરે ૪૦૦ ગ્રામના કિ.રૂ.૧૭,૫૦૦/ તથા ખુલ્લી જગ્યામાં મુકેલી દાનપેટીમાં આવેલ આશરે રૂ.૧૫,૦૦૦/ મળી કુલ કિ.રૂ.5,12,000/ ના મતાની ચોરી કરી લઇ નાસી જઈ ગુન્હો કર્યા બાબતે મોડાસા રૂરલ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!