MORBI:આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વાંકાનેર શહેર અને તાલુકા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી.
MORBI:આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વાંકાનેર શહેર અને તાલુકા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી.
આમ જનતાનાં મુદ્દાઓને લઈને સતત ગુજરાતનાં લોકોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનાં નાકે દમ લઈ આવનારી આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં વધુ મજબૂતાઈથી આગળ વધી રહી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પાંચ ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ ગુજરાતની જનતાનો અવાજ ઠેક વિધાનસભા સુધી પોહચી રહ્યો છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મોરબી જિલ્લામાં અને વાંકાનેર તાલુકામાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લા ઉપ પ્રમુખ તરીકે અર્જૂનસિંહ વાળાની નિમણુંક કરાય છે તેમજ આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાને લઈને વાંકાનેર શહેર પ્રમુખ તરીકે તોફિક અમરેલીયા ને નગરપાલિકા વિસ્તારની જવાબદારી સોપાઈ છે. વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે માણસીયા આહમદભાઈ હસનભાઈ (સિંધાવદર) અને વાંકાનેર તાલુકા મહામંત્રી તરીકે ગનીભાઈ બાદી (પાજ) ની નિમણુંક કરાઈ છે.