BANASKANTHAVADGAM

સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ખાતે 4 ઓગસ્ટે સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ યોજાશે

(માહિતી બ્યુરો,પાલનપુર)

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ખાતે તા.૪/૦૮/૨૦૨૪ રવિવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણપ્રાશન ટીપા” નિઃશુલ્ક સવારે ૯:૦૦ થી ૦૧.૦૦ અને સાંજે ૩:૩૦ થી ૫:૦૦ સુધી પીવડાવવામાં આવશે તથા કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવશે.

સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળું છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૂતધર ( સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે. બાળકો માટે લાભદાયક આ કેમ્પનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!