વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) અનહેલ્દી ફૂડ(unhealthy foods)ની યાદી બહાર પાડી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તાજેતરમાં કેટલાક અનહેલ્દી ફૂડની યાદી બહાર પાડી છે, જેને નિયમિતપણે ખાવાથી શરીરમાં રોગો થઈ શકે છે. જેમાં મુખ્યત્વે સ્થૂળતા, હૃદયરોગ, કેન્સર અને ડાયાબિટીસનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, સ્વસ્થ જીવનશૈલી જાળવવા માટે, એ જરૂરી છે કે આપણે આપણાં આહારમાં ખોરાકને ખૂબ કાળજીપૂર્વક સામેલ કરીએ. તેથી, અમે તમને એવા 6 અનહેલ્દી ફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જેને WHOએ ન ખાવાની અથવા બહુ ઓછી માત્રામાં ખાવાની સલાહ આપી છે.
પ્રોસેસ્ડ મીટ, જેમ કે સોસેજ, હેમ અને બેકનમાં સોડિયમની માત્રા વધુ પ્રમાણમાં હોય છે અને તેને લાંબા સમય સુધી કેમિકલની મદદથી સ્ટોર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેના વધુ પડતા સેવનથી કેન્સર, ખાસ કરીને કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધી શકે છે.
શુગર મિક્સ ડ્રિંક્સ જેવા કે સોડા અને એનર્જી ડ્રિંક્સમાં ઘણી વધારે કેલેરી હોય છે. આવી સ્થિતિમાં તેના વધુ પડતા સેવનથી વજન વધી શકે છે અને ટાઇપ 2 ડાયાબિટીસનું પણ જોખમ રહે છે. તેથી WHO તેના બદલે પાણી અને તાજા ફળોના રસનો સેવન કરવાની સલાહ આપે છે.
ટ્રાન્સ ફેટ ધરાવતા ખોરાક જેવા કે પેકેજ્ડ સ્નેક્સ, ફાસ્ટ ફૂડ અને માર્જરિન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેઓ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
આયોડિન માટે મીઠાનું સેવન જરૂરી છે, પરંતુ જો તમે WHOની સલાહ મુજબ દરરોજ 5 ગ્રામથી વધુ ખાઓ છો, તો તે તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. આવી સ્થિતિમાં ચિપ્સ, પેક્ડ ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે, તેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હ્રદય રોગનો ખતરો વધી જાય છે.
વ્હાઇટ બ્રેડ અને રિફાઇન્ડ અનાજ, જેમ કે પાસ્તા અને ચોખા, ફાઇબરની અછતને કારણે શરીરને પોષણ પૂરું પાડતા નથી. તેમાં ખાંડ અને કેલેરી વધુ માત્રામાં હોય છે, જે સ્થૂળતા અને તેના કારણે થતા રોગોનું કારણ બની શકે છે.




