વિજાપુર બવાહીર વ્હોરા મહીલા સંઘઠન દ્વારા સમર કેમ્પ યોજાયો
બાળકો ને સામાજીક શૈક્ષણિક પ્રવૃત્તિ નું માર્ગદર્શન અપાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા બવાહીર વ્હોરા મહીલા સંઘઠન દ્વારા સમાજની નાના બાળકો જે ધોરણ 5 થી ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ ને હાલમાં શાળાઓ માં રજા હોવાથી તેનો સદઉપયોગ થાય તે માટે બાળકો ને વિવિધ સામાજીક શૈક્ષણિક પ્રવૃત્તિ માં રસ જાગે તે માટે નું મહીલા સંઘઠન ના પ્રમુખ વિકાર બેન વ્હોરા તેમજ ફરહાના બાનુ વ્હોરા તેમજ રાબીયા બાનુ મૌલવી દ્વારા જુદી જુદી રમતો તેમજ વ્યાયામ તેમજ સામાજીક પ્રવૃત્તિ ઓનું માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ જેમાં બવાહીર વ્હોરા સમાજ મહીલા સંઘઠન ની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને 130 જેટલા બાળકો શાળાની રજા નો ઉપયોગ કરતા સમર કેમ્પ માં જોડાઈ ને લાભ લીધો હતો કેમ્પ માં બાળકો એ કરેલા ઉત્કૃષ્ટ દેખાવ માટે ઇનામો નું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ