નારણ ગોહિલ લાખણી
કઈક ને કંઈક હંમેશા નવુ કરવા મા અગ્રેસ રહેતી લાખણી તાલુકાના દેતાલ ની ઓગડ ભૈરવ વિધાલય દ્વારા એક નવી પ્રવુતિ સાથે ગાયો માટે દાન એકઠુ કરવા મા આવ્યું છે ઉતરાયણ ના પવિત્ર તહેવાર પર લોકો અવનવા દાન કરતા હોય છે ત્યારે શનિવારના રોજ શ્રી ઓગડ ભૈરવ વિધામંદિર ના ટ્રસ્ટી શ્રી આચાર્ય શ્રી શાળા નો સ્ટાફ અને ધોરણ 9થી12 ના વિધાર્થી ભાઈઓ અને બહેનો સાથે મળીને શ્રી શિવ શક્તિ ગૌશાળા ટ્રસ્ટ દેતાલ ગૌશાળા મા ગાયો માટે ઉતરાયણ નિમિત્તે રૂ.18100(અઢાર હજાર એક સો) દાન કરીને ભારતીય સંસ્કૃતિ નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગૌશાળા મા દાન આપવા બદલ ગૌશાળા વતી દાતા શ્રી ઓને ખુબ ખુબ અભિનંદન અને શાળા અને શાળા ના વિધાર્થી ભાઈઓ અને બહેનો ભણવામાં ખૂબ આગળ વધી પ્રગતિ કરી શાળા નું નામ રોશન કરો એવી હ્દય થી શુભકામનાઓ . પાઠવા મા આવી હતી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.