SAYLA

સાયલાના કેસરપર પંથકમાં ખેડૂતો એ અખાત્રીજની ઉજવણી કરી..

ઝાલાવાડ પંથકમાં અખાત્રીજનું અનેરૂ મહત્વ જોવા મળ્યું..સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કેસરપર ગામે અખાત્રીજ નાં દિવસે ખેડૂતોએ ખેતરમાં પૂજા કરી ખેતીના શ્રી ગણેશ કર્યા.વરસાદના વરતારાની લોકવાઇકા ની પ્રથાને ઝાલાવાડના ખેડૂતોએ અકબંધ રાખી.સાયલા પંથકના ખેડૂતોએ વહેલી સવારથી ખેતરોમાં ટ્રેક્ટરો સાથે પહોંચી પૂજન કરી અખાત્રીજનું મુહૂર્ત સાચવ્યુ.અખાત્રીજના શુભ મુહર્ત ખેડૂતોએ પરિવાર સાથે ટ્રેક્ટર થી જમીન ખેડી ખેતીના શ્રી ગણેશ કર્યા.અખાત્રીજના દિવસે સાયલા પંથકમાં વાવણીની પરંપરા હજુ યથાવત જોવા મળી..તેમજ અખાત્રીજના દિવસે લોકોએ વાહનોની ખરીદી કરી શુભ મુહૂર્ત જાળવી રાખતા હોય છે.. જ્યારે સમગ્ર ઝાલાવાડમાં ઠેર ઠેર અખાત્રીજના દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે રાખી ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!