તા.16/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારોમાં શાક માર્કેટનો વિષય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી રહ્યો છે ત્યારે વઢવાણ શાકમાર્કેટમાં પણ અનેક મુશ્કેલીઓનો લોકો સામનો કરી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે એક જગ્યાઓ સાંકડી તેમાંય અંબાજી માના મેદાન સામે શાકભાજીના પાથરણાવાળા, લારીઓ વાળાઓના અડીંગાઓથી લોકોને આ રસ્તા પર ચાલવાનો માર્ગ પણ શોધવો પડતો હોવાની રાવ ઉઠી છે પાલિકાના બ્લોકથી પથરાયેલી આ જગ્યા પર દિવસે દિવસે લારીઓ પાથરણા વાળાઓનું પ્રમાણ વધતા પગપાળા ચાલીને જવુ પણ લોકોને મુશ્કેલ બની જાય છે બંને બાજુ પાથરણા વાળાઓ વાહનો તેમજ પશુઓના અડીંગાઓથી કેટલીક વાર તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે આવા સમયે શિયાણી પોળ દરવાજા બહાર ફરજ બજાવતા પોલીસ અને હોમગાર્ડ જવાનોને વ્યવસ્થા સંભાળવાની પરિસ્થિતિ સર્જાય છે બીજી તરફ અહીંયા પણ શાકમાર્કેટના થડાઓ આવેલા છે જે દરવાજાની અંદર છે પરંતુ બહાર જ શાકભાજીઓ સહિતની ચીજવસ્તુઓ મળી જતા લોકો શાકમાર્કેટની અંદર જવાનું ટાળી રહ્યા છે તેમાંય ટુવ્હીલર સહિતના વાહનો પણ બહાર લોક કરીને જતા રહેતા વાહનોનો પણ જમેલા થતો રહે છે શિયાણી પોળના દરવાજાથી પાથરણા વાળાઓની શરૂઆત થઇને છેક સાંકડી શેરી તેમજ મુખ્ય બજાર તરફના રસ્તાની બંને સાઇડ લોકો શાકભાજી સહિતની ચીજવસ્તુઓના વેચાણ માટે બેસી જતા હોય છે. આથી વઢવાણ શાકમાર્કેટનું પણ સુવ્યવસ્થિત સંચાલન સાથે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ, મહિલાઓ તેમજ લોકોને અડચણરૂપ ન બને તે રીતે વ્યવસ્થા કરવા લોકમાંગ ઉઠી છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.