તારીખ ૨૪ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે બાલિકાઓ ની સાથે માતાઓને શુભેચ્છાઓ પાઠવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી,આરોગ્ય કર્મચારીઓ,માતાઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એક દિકરીનો”ભણુંછું અને ભણીશ” તેવો આત્મવિશ્વાસ જોઈને સૌએ અભિનંદન આપ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી ઉપસ્થિત બાલિકાઓ તથા માતાઓને ફ્રુટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....