MEHSANAVIJAPUR

વિજાપુર એપીએમસીની ચૂંટણીમાં વજાપુર મંડળીના 11 મતદારો માંથી 10 મતદારો ને મતદાન નહીં કરવા દેતા વિવાદ

વિજાપુર એપીએમસીની ચૂંટણીમાં વજાપુર મંડળીના 11 મતદારો માંથી 10 મતદારો ને મતદાન નહીં કરવા દેતા વિવાદ
છેલ્લા સમયે ખેડૂત પેનલના 10 મતદારો માં આક્રોશ
એપીએમસી ચૂંટણીમાં ખેડૂત વિભાગના 10 મતદારો નારાજ થયા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જેમાં ખેડૂત વિભાગ તેમજ વેપારી વિભાગ તેમજ ખરીદ વેચાણ સંઘ એમ ત્રણ વિભાગ ની 16 બેઠકો માટે ની ચૂંટણી માટે મતદાન માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ખેડૂત વિભાગના વજાપુર મંડળી ના 11 મતદારો માંથી એકને મતદાન કરવા દેવામાં આવ્યો હતો જ્યારે 10 જેટલા મતદારો ને મતદાન નહીં કરવા દેતા ખેડૂત વિભાગના 10 જેટલા મતદારો માં ભારે નારાજગી જન્મી હતી જોકે માથાકૂટ વધુ વણશે તે પહેલા માહોલ ને શાંત પાડી દેવામાં આવ્યો હતો એપીએમસી ની ચૂંટણી નું મતદાન સવારે 9 કલાક થી સાંજના 5 કલાક સુધી પોલીસ ના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયું હતુ પરંતુ મતદાન ના છેલ્લા સમયમાં મતદાન વજાપુર મંડળીના 11 મતદારો માંથી એક ને મતદાન કરવા દેવામાં આવતા અને 10 મતદારો માટે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ સહીત વાંધો ઉઠાવતા ગરમાવો ઉભો થયો હતો જેના કારણે ખેડૂત વિભાગના 10 જેટલા મતદારો મતદાન કરી શક્યા નથી પોલીસ અધિકારી વીઆર ચાવડાએ ગરમ માહોલ ને શાંત પાડતા તમામ લોકોએ રાહત નો દમ લીધો હતો થયેલા મતદાન ની મત ગણતરી શનિવારે સવારે હાથ ધરવામાં આવશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!