તા.19/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સતાપરમાં ઝેરી જનાવરે દંશ દેતા સાત વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું જેમાં વાડીમાં સૂતેલી પાયલ નામની બાળકીને ઝેરી જાનવરે દંશ દેતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ ઘટના અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામની સીમ વિસ્તારમાં રહેતા દુલશનભાઈ ગાત્રોડિયા પરિવાર સાથે ગત રાત્રીના ઓરડીમાં સુતા હતા ત્યારે બાજુમાં સુતેલી તેની સાત વર્ષની પુત્રી પાયલને ઓરડીમાં ઘુસેલા ઝેરી જનાવરે દંશ દેતાં બેભાન થઈ ઢળી પડી હતી જેને પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અને બાદમાં અત્રેની રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડતાં સારવારમાં તેનુ કમકમાટીભર્યું મોત થયું હતું. આ ગોઝારા બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી વધુમાં મૃતક ત્રણ ભાઈ બહેનમાં નાની હતી જેના અકાળે મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.