જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૭ ફેબુ્આરીના ભરતી મેળો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ધ ફર્ન લીયો રીસોર્ટ એન્ડ ક્લબ (વાસ સુંદર ઓર્ગેનાઇઝર), રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ, તથા પરફેક્ટ ઓટો સર્વિસ એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ આસી. ફ્રંટ ઓફિસ મેનેજર, સુપરવાઇઝર, પ્લમ્બર, ઇલેક્ટ્રીશીયન, ગેસ્ટ સર્વિસ અટેન્ડેન્ટ, લાઇફ પ્લાનીંગ ઓફિસર તથા સેલ્સ એક્ઝુકેટીવની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી’ વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન જૂનાગઢ ખાતે તા.૧૭/૦૨/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકાશે.