HIMATNAGARIDAR

સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને જી.આઇ.ડી.સી. પ્રમુખશ્રી દ્વારા મતદાન જાગૃતિ વિષયક એમ.ઓ.યુ કરાયા

સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને જી.આઇ.ડી.સી. પ્રમુખશ્રી દ્વારા મતદાન જાગૃતિ વિષયક એમ.ઓ.યુ કરાયા

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે અને હિંમતનગર જી.આઇ.ડી.સી. પ્રમુખશ્રી શ્યામ સલુજા દ્વારા મતદાન જાગૃતિ વિષયક એમ.ઓ.યુ કરાયા.

 

લોકસભા ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને ઔધોગિક એકમો અને તેની સાથે સંકળાયેલ કામદારો / શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિ પ્રવૃતિઓમાં સહભાગી થાય તે હેતુ થી એમ.ઓ.યુ કરાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર સાથે હિંમતનગર જી.આઇ.ડી.સીના મતદાન જાગૃતિ અંગે એમ.ઓ.યુ કરવામાં આવ્યો. લોકશાહીને મજબૂત કરવા માટે નાગરિકોમાં મતદાન અંગે સમજ વધે અને દરેક નાગરીક મતદાન માટે પ્રેરીત થાય તે માટે જાગૃતિ અભિયાન યોજાઇ રહ્યા છે.

આ એમ.ઓ.યુ વખતે નાયબ ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ તેમજ ચુંટણી શાખા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!