GUJARATIDARSABARKANTHA

હિંમતનગર ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી રાજેન્દ્ર કુમાર કટારાની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

હિંમતનગર ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી રાજેન્દ્ર કુમાર કટારાની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

 

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી રાજેન્દ્ર કુમાર કટારાની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં ઓબ્ઝર્વરશ્રીએ સાબરકાંઠા મત વિભાગના મતદારો અંગે ચિતાર મેળવ્યો હતો. જિલ્લાના મતદાન મથકો સહિત જિલ્લાના 1279 પોલિંગ સ્ટેશન ઉપર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાય તેના પર ભાર મુક્યો હતો.. જિલ્લાના કુલ 1922 દિવ્યાંગ મતદારો પૈકી મતદાનના દિવસે કેટલા દિવ્યાંગ મતદારોને વ્હીલચેરની જરૂરીયાત જણાશે તેની અધતન વિગતો રાખવા સૂચન કર્યુ હતું.

વધુમાં નિરીક્ષકશ્રીએ સાબરકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વધુમાં વધુમાં મતદાન થાય તે માટે પંચાયતો વચ્ચે મતદાન માટે તંદુરસ્ત હરીફાઇ થાય તેમજ નરેગાના કામદારોમાં મતદાન અંગે જાગૃત થાય તે માટે ની કામગીરી કરવા અંગે જણાવ્યું હતું ઉપરાંત તેમણે થર્ડ જેન્ડર અને સંવેદનશીલ આદિમ જૂથો એવા કાથોડી લોકો સો ટકા મતદાન કરે તે માટે અનુરોધ કર્યો હતો.

મતદાનના દિવસે ગરમીના કારણે મતદારોને હિટવેવ સામે રક્ષણ સહિત પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે આશાવર્કરની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભૂમિબેન કેશાવાલા સહિત વિવિધ અમલીકરણ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!