વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ એન્જિનિયર્સ (આઈ. આઈ. સી. એચ. ઈ.) કે જે ભારતમાં કેમિકલ એન્જિનિયર્સ માટેની સર્વોચ્ચ વ્યાવસાયિક સંસ્થા છે અને વાપી ખાતે પ્રાદેશિક કેન્દ્ર ધરાવે છે. ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથી શ્રી શશિકાંત પોકલે સાહેબ, ચેરમેન વાપી રિજીઓનલ સેંટર ઓફ ‘આઈ. આઈ. સી. એચ. ઈ. તથા એક્ષિક્યુટિવ કમિટી મેમ્બર્સ વાપી રિજીઓનલ સેંટર ઓફ ‘આઈ. આઈ. સી. એચ. ઈ., સંસ્થાના આચાર્યશ્રી મિસીસ. રીન્કુ શુકલા મેડમ, કેમિકલ વિભાગ ના વડા ડૉ. અમિત ધનેશ્વર સાહેબ, કેમિકલ વિભાગના આઈ. આઈ. સી. એચ. ઈ. કો-ઓર્ડીનેટર શ્રી મનિષ નસિત તેમજ કેમિકલ વિભાગના સ્ટાફ સાથે વિધાર્થીઓ તથા અન્ય વિભાગના વડા ઉપસ્થિત રહ્યા હતા. ‘આઈ. આઈ. સી. એચ. ઈ. – સ્ટુડન્ટ ચેપ્ટર’ નો મુખ્ય ઉદેશ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીમાં ટેકનો-સામાજિક બૌદ્ધિક ગુણો કેળવવા, વિદ્યાર્થીઓમાં ટીમ ભાવનાને પ્રોત્સાહિત કરવી, વિદ્યાર્થીઓ માટે આઈ. આઈ. સી. એચ. ઈ. દ્વારા આયોજિત વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તક પૂરી પાડવી, આઈ. આઈ. સી. એચ. ઈ. સાથે જોડાયેલા પ્રોફેશનલના સભ્યો વચ્ચે માહિતી અને વિચારોના આદાન-પ્રદાનની સુવિધા પૂરી પાડવી, વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને શીખવાની તકો વધારવા માટે પુસ્તકાલયનો વિકાસ કરવો.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.